*તમારા સમયનો સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ઉપયોગ આ છે*

`”…જે વસ્તુઓને મોટાભાગના લોકો મહત્વપૂર્ણ માને છે તે પરમેશ્વર માટે નકામી છે.” લૂક ૧૬:૧૫, CEV અનુસાર`
દુનિયાના મૂલ્યો ઘણીવાર પરમેશ્વરના મૂલ્યોથી સીધા વિપરીત હોય છે. સમાજ જે બાબતોને માન આપે છે તે પરમેશ્વરની નજરમાં ખુબ ઓછું મહત્વ ધરાવે છે, અને પરમેશ્વર જેને મૂલ્યવાન માને છે તેને ઘણીવાર દુનિયા દ્વારા અવગણવામાં આવે છે અથવા નકારી કાઢવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, દુનિયામાં ડૉક્ટર માટે જે આદર છે તે આદર એક પાદરી માટે નથી. પાદરી બનવું પૃથ્વીવાસીઓની નજરમાં નજીવું લાગે છે, પરંતુ પરમેશ્વરની નજરમાં, તે શાશ્વત મહત્વનો દૈવી આહવાન છે.
તમારા કેટલાક સંબંધીઓ માને છે કે તમે પરમેશ્વરની સેવા કરવામાં સમય બગાડી રહ્યા છો, પરંતુ પરમેશ્વર તેને તમારા જીવનનો સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ઉપયોગ માને છે. એક ક્ષણ માટે પણ ક્યારેય એવું ન વિચારો કે તમારે તમારા સમયનો કંઈક સારો ઉપયોગ કરવો જોઈએ – આનાથી વધુ સારું કંઈ નથી. `પરમેશ્વરની સેવા કરવી` એ સૌથી મોટી વસ્તુ છે જે એક વ્યક્તિ પોતાના જીવનમાં કરી શકે છે.
ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન