ASHOK MARTIN MINISTRIES

પરમેશ્વરનું નામ!

શનિવાર // 7મી ડિસેમ્બર 2024

પરમેશ્વરનું નામ!

> ‘મેં તેઓને બતાવ્યું છે કે તું કોના જેવો છે. અને ફરીથી હું તેઓને બતાવીશ તું કોના જેવો છે. પછી તેઓને એજ પ્રેમ મળશે જેવો તને મારા માટે છે. અને હું તેઓનામાં રહીશ. યોહાન 17:26`

ઈસુ ખ્રિસ્તે જે કંઈ કર્યું તે પરમેશ્વરના નામનું અભિવ્યક્તિ હતું. પરમેશ્વર એટલા મોટા છે કે તેઓ તેમનો પરિચય આપણને આપવા માટે અશક્ષમ છે. આપણે તેને અને તેના નામ પાછળના સાક્ષાત્કારને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.

પિતર જાણતા હતા કે ઈસુના નામે સંપત્તિ છે અને તેની તુલના ચાંદી અને સોના સાથે કરી શકાય છે. તેથી, જ્યારે લંગડા માણસને મદદની અપેક્ષા હતી, ત્યારે પિતરએ લંગડા માણસને કહ્યું “મારી પાસે સોનું કે ચાંદી કંઈ નથી. પણ મારી પાસે તને આપી શકાય તેવું બીજું કંઈક છે: ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ઊભો થા અને ચાલ!.” પ્રેષિતોના ચરિતો 3:6

જ્યારે મૂસાને તેના મિશન પર મોકલવામાં આવ્યો હતો, ત્યારે તે માત્ર એક જ વસ્તુ સાથે આવ્યો હતો, તે પરમેશ્વરનું નામ જે તેના પર પ્રગટ થયું હતું. તે નામના બળ પર તેણે મિસરના જાદુ કરતા પણ વિશેષ ચમત્કારો કર્યા. આ નામ તેમને ચાલીસ વર્ષ સુધી અરણ્યમાં ખોરાક અને પાણી આપવા માટે પૂરતું હતું. તેમની સામે આવનાર દરેક દુશ્મનને ડરાવવા માટે આ નામ પૂરતું હતું.

હવે, તે પરમેશ્વરના નામના આંશિક સાક્ષાત્કારનો મહિમા હતો, જે મૂસા પર પ્રગટ થયો હતો. જરા ઈસુના નામ વિશે વિચારો- જેમનામાં પરમેશ્વરનું મસ્તક વાસ કરે છે. ઈસુનું નામ જ્યારે સાક્ષાત્કાર સાથે ઉચ્ચારવામાં આવે છે, ત્યારે પરમેશ્વરનો હાથ કાર્ય કરે છે.

ગલાતીયાં 3:27 કહે છે કે કેમ કે તમારામાંના જેટલાં ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાંએ ખ્રિસ્તને અપનાવી લીધા. જેનો અર્થ છે કે ઈસુનું નામ માત્ર મોટેથી અને વારંવાર બોલવા માટે નથી પરંતુ તમારે તેને તમારા પર પહેરવું જોઈએ અને ચાલવું જોઈએ. આ નામની ચેતનામાં જીવવું જોઈએ. કેટલાક તેને ઈસુ કહે છે, અન્ય લોકો તેને યેશુઆ કહે છે, અન્ય કોઈ તેને યહોશુ કહે છે. પરંતુ તમે તેને ગમે તે રીતે બોલાવો, જો તમારી પાસે સાક્ષાત્કાર છે, તો શક્તિ જરૂર પ્રદર્ષિત થશે.

 

ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Call Now Button