*તમારા વિશ્વને આદેશ આપો*

`વિશ્વાસના આધારથી જ આપણે જાણીએ છીએ કે સમગ્ર જગતની રચના પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે થઈ છે એનો અર્થ એ થયો કે આપણે જે કાંઇ જાણીએ છીએ તે કોઈ અદશ્ય શક્તિ દ્ધારા બનાવવામાં આવેલું છે. હિબ્રૂઓ 11:3`
બ્રહ્માંડની રચના પરમેશ્વરની આજ્ઞાથી થઈ છે. સૃષ્ટિની રચના કરવામાં આવી હતી, ઘડવામાં આવી હતી, અને પરમેશ્વરનાં આદેશ દ્વારા અસ્તિત્વમાં આવી. જ્યારે પરમેશ્વર તેમના આદેશ દ્વારા બોલ્યા, ત્યારે સૃષ્ટિની અચાનક સ્થાપના થઈ અને અસ્તિત્વમાં આવી. પરમેશ્વર અદ્રશ્ય અને શાશ્વત ક્ષેત્રમાંથી બોલ્યા, અને તેમના હુકમનામા એ દૃશ્યમાન ક્ષેત્રમાં વસ્તુઓને પ્રગટ કરી.
જીવનમાં વસ્તુઓ ફક્ત આપણી સાથે બનતી નથી, પરંતુ જીવનમાં વસ્તુઓ થાય તે માટે આપણને બોલાવવામાં આવે છે. પરમેશ્વરે તેમના લોકોને રાજની સત્તા અને શાસન દ્વારા કાયદાકીય સત્તા આપી છે. તમે તમારા મોંમાંથી જે ફરમાવશો તે અનુસાર તે બનશે. બીજા શબ્દોમાં કહીએ તો, તમે આજે જે આદેશ કરો છો તે આવતીકાલે તમે તે વાસ્તવિકતામાં જીવશો. બાઇબલ કહે છે કે _”મૃત્યુ અને જીવન જીભની સામર્થ્યમાં છે”_ (સુભાષિતો 18:21) અને _”સત્ય વચન ઘણાં અસરકારક હોય છે.”_ (યોબ 6:25 KJV). આપણા મોંમાંથી બોલાતા ભવિષ્યવાણીના હુકમો પ્રભાવશાળી, શક્તિશાળી હોઈ શકે છે અને આપણને મહાનતા અથવા નિષ્ફળતા માટે તૈયાર કરી શકે છે.
આપણી જીભ દ્વારા પ્રકાશિત કરેલ પરમેશ્વરનાં વચન તેની શક્તિ આપણા જીવનમાં પ્રગટ કરશે. ઈસુએ પણ તેમના શિષ્યોને શીખવ્યું કે આપણો વિશ્વાસ આપણા શબ્દો દ્વારા મુક્ત થાય છે (માર્ક 11:23). આપણા આસ્થાથી ભરેલા શબ્દો પહાડોને હલાવે છે! જીવનના સંજોગો અને અણધારી ઘટનાઓનો તમે સામનો કરી શકો તેમ છતાં, તમને પ્રભુત્વ મેળવવા અને પરમેશ્વર ના મહિમા માટે તેનો ઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યા છે. દરરોજ તમારા પ્રત્યેના પરમેશ્વરના વિચારોને જાણવાથી તમારી અંદરના સૂતેલા આત્મિક વ્યક્તિને પ્રજ્વલિત થશે અને તમે વિશ્વાસની વિશાળ છલાંગ લગાવશે.
ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન