બુધવાર // 11મી ડિસેમ્બર 2024

તમને કોઈ વસ્તુનો અભાવ નહિ રહે!
જો તમે આ બાબતો કરશો, તો જે લોકો વિશ્વાસીઓ નથી તે તમારી જીવનપદ્ધતિને માનની દષ્ટિથી જોશે. અને તમારે તમારી આવશ્યકતાઓ માટે બીજા પર આધારિત નહિ બનવું પડે.
1 થેસ્સલોનિકા 4:12
પરમેશ્વરે આદેશ આપ્યો છે કે તમને “કંઈ પણ વસ્તુનો અભાવ” ના રહે.(1 થેસ્સલોનિકા 4:12) જેનો અર્થ છે કે પરમેશ્વર તમારી બાજુમાં છે. તે ઈચ્છતા નથી કે તમારી પાસે કોઈ પણ વસ્તુની કમી હોય. પરમેશ્વરે “તમારા અભાવને પૂરો કરવા” શક્તિને ગતિમાં ગોઠવી છે (ફિલિપ્પી 2:30).તે આપણને અહીં બતાવે છે કે તે પરમેશ્વરના પુરુષો અને સ્ત્રીઓને તમારા માર્ગે મોકલે છે કે તમારી પાસે જે અભાવ છે તેની જોગવાઈ તમને બતાવી શકે અને તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે તેને બતાવી શકે.
અનુસંહિતા 2:7 માં, પરમેશ્વર આપણું ધ્યાન તે સમય તરફ દોરે છે જ્યારે તેમના લોકોએ વિશ્વાસ કર્યો અને “તેમને કંઈ પણ વસ્તુની કમી ન પડી”. તે કહે છે, કેમ કે તમારા પરમેશ્વર યહોવાએ તમારા હાથના સર્વ કાર્યોમાં તમને આશીર્વાદ આપ્યા છે: આ મોટા અરણ્યમાં તમારું ચાલવું તે તે જાણે છે: આ ચાલીસ વર્ષોથી તમારા પરમેશ્વર યહોવા તમારી સાથે રહ્યા છે; અને તમને કશાની કમી નથી થઇ.
ઇસુના મૃત્યુ, પુનરુત્થાન, સ્વર્ગારોહણ અને તેમના પવિત્ર આત્મા મોકલ્યા પછી, આપણને કહેવામાં આવ્યું છે કે “શિષ્યોમાંથી કોઈ પણને કશાની ઉણપ ન હતી..” (પ્રેષિતોના ચરીતો 4:34). હા, તમારા અભાવને દૂર કરવું શક્ય છે. તે આપમેળે અથવા સરળતાથી થતું નથી, પરંતુ અભાવ પર હુમલો કરીને જીતવું શક્ય છે.
કારણ કે પરમેશ્વરે તમારા માટે તમારા અભાવને દૂર કરવા માટે ઉપયોગ કરવા માટેના સાધન પ્રદાન કર્યા છે. અને તે તમારો વિશ્વાસ છે. પરમેશ્વરે દરેક માણસને વિશ્વાસનું માપ આપ્યું છે_ (રોમનો 12:3). વિશ્વાસ એવી વસ્તુ નથી જે તમારે મેળવવાની છે, તે એવી વસ્તુ છે જે પરમેશ્વરે તમારી અંદર પહેલેથી જ મૂકી દીધી છે. વિશ્વાસ રાખો કે પરમેશ્વર તમને બધું પ્રદાન કરશે, જાળવશે અને ટકાવી રાખશે જો તમે તેમના કહેવા પ્રમાણે કરો છો, તો તમારી પાસે કોઈ સારી વસ્તુની કમી રહેશે નહીં.
ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન