
“જ્યારે સહનશીલતા બદલો લેવા કરતાં વધુ મોટેથી બોલે છે”
> પોતે કશુજ ખરાબ ન કર્યુ હોય છતાં કોઇ વ્યક્તિને દુ:ખ સહન કરવું પડે. તો તે વ્યક્તિ પરમેશ્વરનો વિચાર કરીને દુ:ખ સહન કરે તો તેનાથી પરમેશ્વરને આનંદ થાય છે.. ૧ પીતર ૨:૧૯ AMPC અનુસાર
એક પ્રકારનું દુઃખ છે જેને સ્વર્ગ *ધન્ય* કહે છે. તે માંદગી, નુકસાન અથવા નિષ્ફળતાનું દુઃખ નથી – પરંતુ પરમેશ્વરની નજર સમક્ષ સહન કરાયેલ અન્યાયનું દુઃખ છે. જ્યારે પરમેશ્વરનું બાળક ખોટું સહન કરે છે અને છતાં વિશ્વાસમાં અડગ રહે છે, દુષ્ટતાનો બદલો દુષ્ટતાથી આપવાનો ઇનકાર કરે છે, ત્યારે કંઈક દૈવી બને છે. દુનિયા તેને નબળાઈ સમજી શકે છે, પરંતુ પરમેશ્વર તેમાં શક્તિ જુએ છે. આ શાંત સહનશીલતા દુશ્મનનું મોં બંધ કરે છે અને અંધકારનાં કાર્યને આગળ વધતા અટકાવે છે.
ઈસુએ પોતે આવી પીડા સહન કરી. જયારે તેમનું અપમાન કરવામાં આવ્યું, ત્યારે તેમણે બદલામાં અપમાન કર્યું ન હતું; જયારે તેમણે દુઃખ સહન કર્યું, ત્યારે તેમણે ધમકી આપી ન હતી. તેમણે પોતાનો કેસ ન્યાયી રીતે ન્યાય કરનારને સોંપ્યો. જ્યારે આપણે આ માર્ગ પર ચાલીએ છીએ, ત્યારે આપણે તેમની જીતમાં ભાગીદાર બનીએ છીએ. સહનશીલતાનું દરેક કાર્ય એ ઘોષણા બની જાય છે કે *આપણો વિશ્વાસ માણસોમાં નહીં પણ ન્યાય આપનાર પરમેશ્વરમાં છે.* આવી પીડા હૃદયને શુદ્ધ કરે છે અને અદ્રશ્ય રીતે પરમેશ્વરના ન્યાયને પ્રગટ કરે છે.
તેથી જ્યારે તમે અન્યાયનો સામનો કરો છો અને તેમના માટે સહન કરવાનું પસંદ કરો છો, ત્યારે યાદ રાખો – તમે હારતા નથી, તમે ખ્રિસ્તના પોતાના દુઃખમાં ભાગીદાર છો. તમે દુશ્મનને તેના પોતાની રમતમા હરાવી રહ્યા છો, કારણ કે તમે બદલો નથી લઇ રહ્યા. અને યોગ્ય સમયે, ન્યાયી ન્યાયાધીશ તે પીડાને મહિમામાં અને તે શાંત સહનશક્તિને પ્રશંસામાં ફેરવશે.
ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન
> AMM સાથે 90 દિવસની બાઇબલ વાંચન યોજના
_દિવસ 1 – પરમેશ્વરની યોજના અને માણસનું પતન_
* *જૂનો કરાર (ઉત્પત્તિ 1-4)*: _સૃષ્ટિ અને પતન – જુઓ સંપૂર્ણતા કેવી રીતે જન્મી અને ખોવાઈ ગઈ._
* *સ્તોત્રસંહિતા (સ્તોત્રસંહિતા 1)*: _તમારો માર્ગ પસંદ કરો – ન્યાયીઓનો માર્ગ કે દુષ્ટોનો માર્ગ._
* *સુવાર્તા (માથ્થી 1-2)*: રાજાને જુઓ – _ઈસુ ખ્રિસ્તનો જન્મ._
* *પાઉલનો પત્ર (રોમનો 1)*: _સુવાર્તાની શક્તિ – પાઉલ વિશ્વાસ દ્વારા ન્યાયીપણાની રજૂઆત કરે છે._