ASHOK MARTIN MINISTRIES

તમારી મહેનત વ્યર્થ નથી

*તમારી મહેનત વ્યર્થ નથી*

`મારા પ્રિય ભાઈઓ અને બહેનો, દઢ બનો. કોઈ પણ વસ્તુથી તમારી જાતને બદલવા ન દો. હંમેશા પ્રભુના કામમાં સમર્પિત બનો. તમે જાણો છો કે પ્રભુ પ્રત્યેનું તમારું કાર્ય કદી પણ નિરર્થક જતું નથી.”1 કરિંથ 15:58`

તમારી મહેનત વ્યર્થ નથી. ક્યારેક, એવું લાગી શકે કે આ વ્યર્થ છે. તમે પ્રભુના કાર્યમાં અને લોકોમાં તમારું હૃદય લગાડ્યું હશે – અને છતાં તમે જે પરિણામો ઇચ્છો છો તે મેળવી શકતા નથી. બાઇબલ કહે છે, _”સત્કર્મ કરતાં આપણે થાકવું નહિ. યોગ્ય સમયે આપણાને અનંતજીવન દ્વારા પુરષ્કૃત કરવામાં આવશે. કારણ કે કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું. આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.”_ (ગલાતિયા 6:9). તે કદાચ એવું પણ લાગે કે તે વ્યર્થ છે. અન્ય લોકો તમારા પ્રયત્નોની મજાક ઉડાડી શકે છે, અવગણી શકે છે અથવા નકારી શકે છે. પણ વચન કહે છે, _“પણ હવે તમે બળવાન બનજો અને હિંમત હારશો નહિ. તમને તમારા કાર્યોના ફળ મળશે._ (૨ રાજવૃત્તાંતો ૧૫:૭).

ભલે લોકો તમારો આભાર ન માને, ભલે તેઓ તમને યોગ્ય રીતે માન ન આપે જેવું તેમણે આપવું જોઈએ, તો પણ વિશ્વાસુ બન્યા રહો, પરમેશ્વર તમે શું કરી રહ્યા છો તે જુએ છે, અને બાઇબલ કહે છે, _”પ્રભુ ન્યાયી છે. કારણ કે પરમેશ્વરના લોકો માટે તમે જે કંઈ કાર્યો કર્યા છે, તે પરમેશ્વર ભૂલી શકે નહિ. તમે સંતો પર દર્શાવેલ પ્રેમ અને હાલ જેમની સેવા કરો છો તે બધું પરમેશ્વર ભૂલી શકે નહિ.”_ (હિબ્રૂઓ ૬:૧૦). બાઇબલ સુભાષિતો ૧૪:૨૩ માં કહે છે કે મહેનતથી સદા લાભ થાય છે. આ કાર્યમાં તમે પ્રભુ માટે કરી રહ્યા છો, તેમાં `લાભ` છે. તમે નિરર્થક કાર્ય કરી રહ્યા નથી! પરમેશ્વરનો મહિમા!

માલાખી ૩:૧૬ આપણને બતાવે છે કે સુવાર્તા માટે આપણે જે કંઈ કરીએ છીએ અથવા બલિદાન આપીએ છીએ તે બધું નોંધાયેલું છે, અને પરમેશ્વર આપણને તેના માટે પુરસ્કાર પણ આપે છે. આપણા પ્રભુ ઈસુએ કહ્યું: _”હું તમને સત્ય કહું છું, પ્રત્યેક વ્યક્તિ જેણે તેનું ઘર, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો અથવા ખેતરોને મારી સુવાર્તા માટે છોડ્યા છે,તેઓએ જેટલું છોડ્યું છે, તેના કરતાં સોગણું વધારે મેળવશે. અહીં આ દુનિયામાં તે વ્યક્તિ વધારે ઘરો, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો અથવા ખેતરો મેળવશે અને તે વસ્તુઓ સાથે તે વ્યક્તિની સતાવણી થશે. પણ આવનાર દુનિયામાં તેને બદલો મળશે. તે બદલો અનંતજીવન છે.”_ (માર્ક ૧૦:૨૯-૩૦).

તમારા ફળ પૃથ્વી પર અહીંથી શરૂ થાય છે, જ્યાં સુધી તમે સ્વર્ગમાં ન પહોંચો ત્યાં સુધી તે મુલતવી રાખવામાં આવતા નથી. જોકે, એવો સમય આવી રહ્યો છે જ્યારે તમે ખ્રિસ્તના ન્યાયાસન સમક્ષ ઊભા રહેશો અને તેને તમને આ કહેતા સાંભળશો, “શાબાશ, સારા અને વિશ્વાસુ સેવક.”_ તેથી, હિંમત રાખો અને ખંતથી પ્રભુની સેવા કરો. દર્શન ૨૨:૧૨ માં પ્રભુએ કહ્યું, “ધ્યાનથી સાંભળો! હું જલદીથી આવું છું! હું મારી સાથે બદલો લાવીશ. હું દરેક વ્યક્તિને તેઓના કરેલાં કાર્યોનો બદલો આપીશ..”_ કેવો દિવસ હશે! કેવો દિવસ હશે! જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ! `સેવા કરવાનું બંધ ન કરો. કોઈ પણ વસ્તુને તમારા પર હાવી ન થવા દો.` હંમેશા પુષ્કળ પ્રમાણમાં આગળ વધો અને પ્રભુના કાર્યમાં પ્રગતિ કરો, કારણ કે તમારી મહેનત વ્યર્થ નથી. પરમેશ્વરનો મહિમા!

ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Call Now Button