*ખ્રિસ્તનું લોહી*

`ખ્રિસ્તમય આપણો તેમના રકતથી ઉદ્ધાર થયો. પરમેશ્વરની સમૃદ્ધ કૃપાથી આપણને પાપોની માફી મળી છે. એફેસસ 1:7`
દરેક કરાર અને વચનને લોહીથી મહોરબંધ (સીલ) કરવામાં આવ્યું છે, અને તેમાં લોહીનું સન્માન રહેલું છે. શાશ્વત પરમેશ્વર માટે તેમના પ્રિય પુત્રના લોહીનુ અપમાન કરવું અશક્ય છે. આ નવા કરારના હસ્તાક્ષર એ પરમેશ્વરનું પોતાનું લખાણ છે, અને મહોરબંધ (સીલ) એ એકમાત્ર પુત્રનું લોહી છે. કરાર લોહી દ્વારા તેમના પોતાના પ્રિય પુત્રનાં લોહી દ્વારા મંજૂર કરવામાં આવે છે,
તે શક્ય નથી કે આપણે પરમેશ્વર સાથે નિરર્થક વિનંતી કરી શકીએ જ્યારે આપણે રક્ત-મહોરબંધ કરારની વિનંતી કરીએ છીએ, જે બધી બાબતોમાં સ્થાયી અને નિશ્ચિત છે. સ્વર્ગ અને પૃથ્વી દૂર થઈ જશે, પરંતુ પરમેશ્વર સાથેના ઈસુના લોહીની શક્તિ ક્યારેય નિષ્ફળ થઈ શકશે નહીં. જ્યારે આપણે મૌન હોઈએ છીએ ત્યારે તેમનું લોહી બોલે છે, અને જ્યારે આપણે પરાજિત થઈએ છીએ ત્યારે તે આપણા વતી પ્રવર્તે છે. આ લોહી હાબેલનાં રક્ત કરતાં વધુ સારી વસ્તુઓ માંગે છે, અને તેનો પોકાર સાંભળવામાં આવે છે.
તેથી ચાલો આપણે પરમેશ્વરના સિંહાસન સમક્ષ હિંમતભેર આવીએ, કારણ કે લોહી આપણા માટે વધુ સારી વસ્તુઓનું વચન આપે છે.
ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન