આધ્યાત્મિક શક્તિની ચાવી! શનિવાર // 19મી ઓક્ટોબર 2024

સદ્બુદ્ધિ અને સમજદારી માણસને ક્રોધ કરવામાં ધીમો બનાવે છે, અને ઉલ્લંઘન અથવા અપરાધને અવગણવું એ તેનું સન્માન અને ગૌરવ છે.
સુભાષિતો 19:11 AMP અનુસાર
જ્યારે યોહાન બાપ્ટિસ્ટ પોતાને જેલમાં એકલા જોવે છે, ત્યારે તેને શંકા થવા લાગી કે ઈસુ ખરેખર વચન આપેલા મસીહા છે. જ્યારે પણ આપણે અંધારાવાળી જગ્યાએ હોઈએ છીએ, ત્યારે પરમેશ્વર આપણને તે જ તિક્ષ્ણ શબ્દો સાથે વાત કરે છે જેમણે યોહાનને કહ્યુ હતું: “ધન્ય છે તે જે મારાથી નારાજ નથી.” પરમેશ્વર અન્ય લોકોને તમારા જીવનમાં આવવા દે છે અને તમને દુઃખ પહોંચાડે છે. જે ખ્રિસ્તના લીધે ઠોકર ખાતો નથી તે ધન્ય છે.
જયારે યોહાન બાપ્ટિસ્ટે આખી જીંદગી પરમેશ્વરની સેવા કરી, સંપૂર્ણપણે,અને સમાધાન વિના. તેણે દરેક મોરચે પોતાને નકાર્યો, ક્યારેય દ્રાક્ષાશવ પીધો નહીં, સારા કપડાં પહેરવાનો ઇનકાર કર્યો, અને સ્વાદિષ્ટ ભોજન છોડી દીધું. અને આના બદલે તેને શું મળ્યું? કેદ. અને આખરે તેનું માથું કાપી નાખવામાં આવ્યું. અને તેનાથી પણ ખરાબ બાબત એ છે કે,જ્યારે યોહાન અનિશ્ચિતતાથી ઘેરાયેલો હતો, ત્યારે ઈસુ જેલમાં તેની મુલાકાત પણ લેતા ન હતા. તેના બદલે ઈસુએ યોહાનથી “સામાજિક અંતર” રાખ્યું અને તેની સાથે વાતચીત કરવા સંદેશવાહકો મોકલ્યા.
પરમેશ્વરના સેવક તરીકે, તમને નારાજ થવાનું પોસાય તેમ નથી. પરંતુ આ ખાસ કરીને પડકારજનક બની જાય છે જ્યારે ગુસ્સા અને રોષની આ ઝેરી આદત માત્ર સામાન્ય જ નહીં પરંતુ તેને ઉજવવામાં આવે છે.જો કે,ક્રોધ એ પવિત્ર આત્માનું ફળ નથી. તે શરીરનું ઉત્પાદન છે. પરમેશ્વરના સાચા સેવકોને દુઃખી કરી શકાતા નથી. તે આધ્યાત્મિક શક્તિની ચાવી છે.
ખ્રિસ્તમાં તમારો ભાઈ,
પ્રેષિત અશોક માર્ટિન